
આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિશ્વની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા યોજના છે. આ યોજના 23 સપ્ટેમ્બર 2018ના રોજ શરૂ કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને મફત અને કેશલેસ આરોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે.
યોજનાનો મુખ્ય હેતુ
ભારતમાં ઘણા પરિવારો ગંભીર બીમારીના ખર્ચને કારણે આર્થિક સંકટમાં આવી જાય છે. હોસ્પિટલમાં દાખલ થવા, સર્જરી, દવાઓ અને તપાસ માટે લાખો રૂપિયા ખર્ચાય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારએ PMJAY યોજના શરૂ કરી, જેમાં લાભાર્થી પરિવારોને દર વર્ષે ₹5 લાખ સુધીની આરોગ્ય સારવાર મફત આપવામાં આવે છે.
કોણ લઈ શકે લાભ?
આ યોજના ખાસ કરીને ગરીબ અને વંચિત વર્ગ માટે છે. લાભાર્થીઓની પસંદગી 2011ની સામાજિક-આર્થિક જનગણના (SECC)ના આધારે કરવામાં આવે છે. ગ્રામિણ અને શહેરી બંને વિસ્તારોના પાત્ર પરિવારો આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. લાભાર્થીઓ પાસે “આયુષ્માન કાર્ડ” હોવું જરૂરી છે.
જો તમારું નામ યાદીમાં છે કે નહીં તે જાણવા માટે તમે નજીકના CSC સેન્ટર પર જઈ શકો છો અથવા અધિકૃત વેબસાઈટ પર ચકાસણી કરી શકો છો.
મળતા લાભો
by
byદર વર્ષે પ્રતિ પરિવાર ₹5 લાખ સુધી મફત સારવાર
સરકારી તેમજ નોંધાયેલ ખાનગી હોસ્પિટલમાં કેશલેસ સારવાર
1500થી વધુ બીમારીઓ અને સર્જરી કવર
હોસ્પિટલમાં દાખલ થવા પહેલાં અને બાદના ખર્ચનો સમાવેશ
સમગ્ર ભારતમાં પોર્ટેબિલિટી – કોઈપણ રાજ્યમાં સારવાર લઈ શકાય
કેવી રીતે કામ કરે છે યોજના?
લાભાર્થી પાસે આયુષ્માન કાર્ડ હોય તો તે કોઈપણ એમ્પેનલ્ડ હોસ્પિટલમાં જઈ શકે છે. હોસ્પિટલમાં કાર્ડ ચકાસણી પછી સારવાર કેશલેસ આપવામાં આવે છે. દર્દીને પૈસા ચૂકવવાની જરૂર પડતી નથી. ખર્ચ સીધો સરકાર દ્વારા હોસ્પિટલને ચૂકવવામાં આવે છે.
આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું?
નજીકના CSC (Common Service Center) પર જાઓ.
આધાર કાર્ડ અને રેશન કાર્ડ જેવી ઓળખ પુરાવો સાથે લઈ જાઓ.
તમારું નામ યાદીમાં છે કે નહીં તેની ચકાસણી કરાવો.
પાત્રતા હોવા પર આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવશે.
ગુજરાતમાં અમલ
ગુજરાતમાં આ યોજના “મુખ્યમંત્રી અમૃતમ (MA)” યોજના સાથે સંકલિત છે. રાજ્યના હજારો પરિવારોને આ યોજના દ્વારા મફત સારવાર મળી રહી છે. ઘણા ગંભીર રોગો જેમ કે હાર્ટ સર્જરી, કેન્સર સારવાર, કિડની ડાયાલિસિસ વગેરે માટે પણ કવરેજ આપવામાં આવે છે.
impotrant link :
સરકારી હોસ્પિટલોનું લિસ્ટ: જુઓ અહીંથી
પ્રાઇવેટ હોસ્પિટલોનું લિસ્ટ: જૂઓ અહીંથી
PMJAY યોજનામાં તમારું નામ ચેક કરો તમારો મોબાઈલ નમ્બર નાખી ને : ચેક કરો અહીંથી
helpline number of this scheme::
- 145555
- 1800111565
આયુષ્માન ભારત યોજના – લાભ લેવા સ્ટેપ બાય સ્ટેપ
SECC યાદીમાં તમારું નામ ચકાસો અથવા નજીકના CSC સેન્ટર પર તપાસ કરો.
આધાર કાર્ડ, રેશન કાર્ડ અને મોબાઇલ નંબર સાથે રાખો.
CSC સેન્ટર પર બાયોમેટ્રિક વેરિફિકેશન પછી Golden Card મેળવો.
PMJAY હેઠળ નોંધાયેલ સરકારી અથવા ખાનગી હોસ્પિટલ પસંદ કરો.
વેરિફિકેશન પછી કેશલેસ સારવાર શરૂ થશે.
દર વર્ષે ₹5 લાખ સુધીની સારવાર સરકાર દ્વારા કવર થાય છે.

A really good blog and me back again.